મુંબઈના કોલાબામાં તાજમહેલ હોટેલ પાસે આગ લાગી, ઘણા લોકો ફસાયા હોવાની આશંકા

DivyaBhaskar 2019-07-21

Views 314

મુંબઈઃમુંબઈમાં આવેલી તાજમહેલ અને ડિપ્લોમૈટ હોટલની પાસે આવેલા ચર્ચિલ ચેમ્બર બિલ્ડીંગમાં આગ લાગી ગઈ છે આગ બુઝાવવા માટે ફાયરકર્મીઓની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે આગ લાગવાથી વિસ્તારમાં ધુમાડો પ્રસરી ગયો છે ચર્ચિલ ચેમ્બરમાં ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે હાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે

બિલ્ડીંગના ત્રીજા માળે આગ લાગીઃઆ આગ કોલાબામાં આવેલા ચર્ચિલ ચેમ્બર બિલ્ડીંગના ત્રીજા માળે લાગી છે આ આગમાં અત્યાર સુધી કોઈને નુકસાન થયાના સમાચાર મળ્યા નથી જો કે, ઘણા લોકોની આ ઈમારતમાં ફસાયા હોવાની શક્યતાઓ છે ફાયરકર્મીઓ લોકોને બહાર કાઢવાના પ્રયાસોમાં લાગી ગયા છે

મુંબઈના ઈમારતમાં આગ લાગવાનાની આ પહેલી ઘટના નથી ગત 18 જુલાઈએ જોગેશ્વરી વિસ્તારમાં શાંતિવન બિલ્ડિંગમાં આગ લાગી ગઈ હતી, જ્યાર બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો જેમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થયું ન હતું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS