હવામાન વિભાગના મતે ગુરુવાર સવાર સુધી જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અમરેલી, ભાવનગરમાં છૂટોછવાયો વરસાદી માહોલ રહેશે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે જ્યારે ગુરુવારે દિવસભર સુરત, ભરૂચ, આણંદ, બોટાદ, પોરબંદર અને રાજકોટમાં વરસાદની સંભાવના છેહવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મહા વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે હિટ કરશે નહીં સાતમી તારીખે સવારે દીવના દરિયાકાંઠાથી 40 કિમી દૂર આ વાવાઝોડું ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે આમ છતા 70થી 80 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે