ગોરખનાથ મંદિરમાં હુમલાનું ગુજરાત કનેક્શન સામે આવતા ગુજરાત ATS એક્શનમાં આવી છે. જેમાં ગોરખનાથ મંદિરમાં હુમલા મુદ્દે ઉત્તરપ્રદેશ ATSએ ગુજરાત ATSની મદદ માંગી છે. તેમાં આરોપી અહેમદ મુર્તજાનું ગુજરાત કનેક્શન ખુલ્યું છે. જેમાં હુમલાખોર મુર્તજા જામનગર આવ્યો હોવાનો ખુલાસો થયો છે.