કોરોના અને યુક્રેન સંકટે વિશ્વમાં તારાજી સર્જી: PM મોદી

Sandesh 2022-11-15

Views 2.7K

વડાપ્રધાન મોદીએ આજે ​​બાલીમાં આયોજિત G-20 સમિટમાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ઘણી બધી બાબતો ખુલ્લેની બધાની સામે મૂકી. પીએમએ કહ્યું કે કોરોના, યુક્રેન સંકટથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. મોદીએ કહ્યું કે મેં હંમેશા કહ્યું છે કે આપણે યુક્રેનમાં યુદ્ધવિરામ અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાનો માર્ગ શોધવો પડશે. પાછલી સદીમાં WWIIએ વિશ્વમાં તબાહી મચાવી દીધી, ત્યારબાદ તે સમયના નેતાઓએ શાંતિનો માર્ગ અપનાવવા ગંભીર પ્રયાસો કર્યા. હવે આપણો વારો છે.

આજની ખાતરની અછત આવતીકાલનું ખાદ્ય સંકટ: મોદી
જી-20 સમિટમાં બોલતા પીએમ મોદીએ કહ્યું કે ખાતરની આજની અછત આવતીકાલની ખાદ્ય કટોકટી છે, વિશ્વ પાસે તેનો ઉકેલ નહીં હોય. ખાતર અને ખાદ્ય અનાજ બંનેની પુરવઠા શૃંખલાને સ્થિર અને ખાતરીપૂર્વક રાખવા માટે આપણે પરસ્પર કરાર કરવો જોઈએ.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS